SEBIના કાર્યક્ષેત્ર હેઠળ આવતા 11 કરોડ રોકાણકારોમાંથી લગભગ 1.3 કરોડ રોકાણકારોના ખાતા KYCના નિયમોને અનુરૂપ ન હોવાનું જાણવા મળ્યું છે અને આથી આ ખાતા ‘on hold’ કરી દેવાયા છે.
પૂણે સ્થિત ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર કંપની બજાજ ઓટોએ માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 11,555 કરોડ રૂપિયાની આવક અને 2,011 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ જાહેર કર્યો છે.
બેંગાલુરુ સ્થિત ઈન્ફોસિસે માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં Rs 37,923 કરોડની આવક અને Rs 7,969 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં ચોખ્ખો નફો 8.87% વધી Rs 26,248 કરોડ જ્યારે આવક Rs 1,53,670 કરોડ થઈ છે.
રસપ્રદ વાત એ છે કે ગયા નાણાકીય વર્ષ 2023-24માં પ્રથમ વખત ડીમેટ ખાતાધારકોની કુલ સંખ્યા 15 કરોડને વટાવી ગઈ હતી.
NSE કેપિટલ માર્કેટ અને F&O સેગમેન્ટમાં 4 નવા ઈન્ડેક્સની શરૂઆત થશે. આ ઈન્ડેક્સમાં Nifty Tata Group 25 percent Cap, Nifty 500 Multicap India Manufacturing 50:30:20, Nifty 500 Multicap Infrastructure 50:30:20 અને Nifty MidSmall Healthcareનો સમાવેશ થાય છે.
SEBIના ચેરપર્સન માધબી પુરી બુચે જણાવ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે FMCG ઉદ્યોગના "sachetization"માંથી શીખ લેવી જોઈએ અને Financial Productsને બહોળા વર્ગ સુધી કેવી રીતે પહોંચાડવી તે દિશામાં કામ કરવું જોઈએ.
વિદેશમાં લિસ્ટ ETFમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ્સને SEBIએ નવું રોકાણ લેવાની ના પાડી છે. વિદેશી સિક્યોરિટીઝમાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે $7bની ટોચમર્યાદા છે. વિદેશી ETFમાં રોકાણ કરવા માટે $1bની પણ અલગ મર્યાદા છે અને આ મર્યાદા નજીક છે.
ભારતીય સ્ટૉક એક્સચેન્જ અત્યારે T+1 trade settlement સિસ્ટમનું પાલન કરે છે. પરંતુ 28 માર્ચ સુધીમાં વૈકલ્પિક ધોરણે T+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ શું છે અને તેનાથી શું ફાયદો થશે, તે સમજીએ.
PPFના વ્યાજ દર છેક એપ્રિલ 2020થી 7.1%ના દરે યથાવત્ છે. લોકોને અપેક્ષા હતી કે, ચૂંટણી પહેલાં સરકાર PPF સહિત નાની બચત યોજનાના વ્યાજ દર વધારશે.
Tata Groupની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO લાવી શકે છે અને IPO દ્વારા બજારમાંથી લગભગ Rs 55,000 કરોડ એકત્ર કરે તેવી શક્યતા છે.